Перейти к содержимому

Chintan Katha 272 | Dhirajakhyan Vivechan | 01 Sep. 2026 | Pujyapad Mahant Swami | Rajkot

Chintan Katha

0:00 / 0:00

Chintan Katha 272 | Dhirajakhyan Vivechan | 01 Sep. 2026 | Pujyapad Mahant Swami | Rajkot

975 просмотров · Трансляция закончилась 23 часа назад
Chintan Katha
7,07 тыс. подписчиков
975 просмотров · Трансляция закончилась 23 часа назад
Date : 01/09/2026 ધીરજ આખ્યાન : કડવું 45,46 Title : ધીરજ કોને કહેવાય અને ક્યારે રહે? • આપણે બીજાને છેતરીએ એ પાપ છે પણ બીજા આપણને છેતરી જાય એ આપણી મૂર્ખાઈ છે • નબળું રિએક્શન આપવા માટે જેની પાસે કંઈ છે જ નહીં એ ભગવાનનો ગુણ છે • નિષ્કુળાનંદ સ્વામી આ ધીરજ આખ્યાન દ્વારા આપણને એ શીખવાડે છે કે જેમ બધા ભક્તોએ સદગુણો માટે આજીવન પ્રતિજ્ઞા રાખી હતી એમ આપણે મહારાજ માટે કંઈક પ્રતિજ્ઞા લેવી અને આજીવન પાળવી • માણસ પોતાના ચરિત્રથી સાધુ કે અસાધુ છે, પોતાને કોઈ હેરાન કરે ત્યારે રિએક્શન શું આપે છે એ એનું ચરિત્ર છે • ભક્તએ વિભીષણની જેમ ભગવાનના માર્ગમાં મારે આ જોઈએ અને આ ન જોઈએ કે નક્કી કરી રાખવું જોઈએ • તત્વથી ચલાયમાન થતા નથી એટલે કે સિદ્ધાંતથી ચલાયમાન થતા નથી • સુખમાં દુઃખને દેખવું અને દુઃખમાં સુખને દેખવું એ ઝાઝાને દેખાતું નથી • સેવામાં કોઈ અડચણ ઉભી કરે કે ખોટા હેરાન કરે તો પણ આપણે સેવા મૂકીયે નહીં તો આપણને સેવામાં રસ છે • મહારાજનો નિશ્ચય અને નિષ્ઠા ડગે નહીં એના માટે ધીરજની જરૂર પડે છે • ગીતામાં ભગવાને ધીરજની વ્યાખ્યા કરી છે કે જેના દ્વારા મન પ્રાણ ઇન્દ્રિયોની ક્રિયાનું નિયમન થાય એ ધીરજ છે જ્યારે ધીરજ આખ્યાનમાં ધીરજ રાખી હોય એના સિમટમ્સ કે આખ્યાન છે • જેનો જીવ ભગવાનમાં ચોટ્યો હોય એને જ સુખમાં દુઃખ અને દુઃખમાં સુખ દેખાય છે • આપણો કોઈ દુરુપયોગ કરે એટલા મૂર્ખ ન થવું • ભગવાનના માર્ગે શું જોઈએ છે એના કરતાં શું નથી જોઈતું એનું લિસ્ટ વધારે મહત્વનું છે