Merani Traditional Dress - Lan Vitran | લાણ વિતરણ | Godhaniya Parivar | Vivah | Maher Wedding
Studio Bansi Sodhana
0:00 / 0:00
Merani Traditional Dress - Lan Vitran | લાણ વિતરણ | Godhaniya Parivar | Vivah | Maher Wedding
224 539 просмотров · 6 лет назад
Studio Bansi Sodhana
278 тыс. подписчиков
224 539 просмотров · 6 лет назад
Please Subscribe My Channel For More Videos.
❖ ALBUM :- Gujarati Wedding - લાણ વિતરણ - 2019
Merani Traditional Dress - Lan Vitran | લાણ વિતરણ | Godhaniya Parivar | Vivah | Maher Wedding
#mer #merani #traditional #maher #samaj #porbandar #Merani #Traditional #Dress -#Lan #Vitran | #લાણ #વિતરણ | #Godhaniya #Parivar | #Vivah | #Maher #Wedding #bansi #studio #shodhana
maher wedding 2020 maher wedding porbandar studio bansi sodhana
|| મહેર, મેર ઇતિહાસ ||
એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા પોરબંદરનાં જેઠવા રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા. મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે. પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ.
કર્નલ ડિક્ષન દ્વારા મેર લોકોનું ચરિત્ર ચિત્રણ:
“ તેઓ સાથે સન્માનપૂર્વક વર્તવામાં આવે ત્યારે તેઓ તેમની વિશ્વસ્તનિયતા, સચ્ચાઇ અને પ્રમાણિકતા, અભુતપૂર્વ શૌર્ય, સરળ વફાદારી, અને લગભગ હ્રદયસ્પર્શી ચરમ ભક્તિભાવ ફેલાવી દે છે. તેઓ વચ્ચે આત્મીયતાનું સશક્ત બંધન હોય છે, તેઓ રખેવાળી કરવામાં તેમની નિષ્ઠાને કારણે વિશ્વસનિય છે, પછી ભલેને તેમનાં સગા-સંબંધીઓજ કેદી તરીકે હોય અને તેમનીજ દેખરેખ કરવાની હોય.
|| મહેર, મેર કોમના વસવાટ ||
મેર લોકોનાં પૂર્વજો લગભગ ઈ.પૂ. ૧૨૬ આસપાસ,હાલમાં પશ્ચિમ પંજાબ તરીકે ઓળખાતા ઉત્તર-પશ્ચિમી પ્રદેશ દ્વારા, જ્યોર્જીયાનાં જ્યોર્જિયન લોકો સાથે ભારતીય ઉપખંડમાં પ્રવેશ્યા હતા. [૨] જ્યોર્જિયનો પછીથી ગૂર્જર તરીકે ઓળખાયા. એક ચોક્કસ અહેવાલ જણાવે છે કે આ લોકો ભારતમાં ઈરાન મારફત, બલુચિસ્તાન દ્વારા પ્રવેશ્યા હતા.[૩] આ સમયે પશ્ચિમ ભારત ગુપ્ત (ગુપ્ત સામ્રાજ્ય) સાર્વભૌમકત્વ હેઠળ હતું. અને ગુપ્ત સામ્રાજ્યની સ્થાપનાનાં ઘણાં કાળ પહેલાં કુશાણ લોકોનું શાસન આથમી ગયું હતું. એવું જણાય છે કે ઉત્તર-પશ્ચિમ પ્રાંતનાં ગુપ્તવંશના રાજવીએ, મેદ અને ગુજ્જર જેવા, આપ્રવાસી આક્રમણકારોને દક્ષિણ તરફ હાંકી કાઢ્યા હશે. ઉત્તરની ઈન્ડુસ વેલી (સિંધુખીણ)નો દક્ષિણી ભાગમાં જાટ લોકોની સત્તા હતી, જેઓ પણ ત્રણ સદીઓ પૂર્વે આ જ રીતે દેશમાં આવ્યા હતા.
જાટ લોકોએ આ વિદેશીઓનો વિરોધ કર્યો, પણ અંતે તેઓએ તેમના પર પ્રભુત્વ મેળવ્યું અને આમ, મેદ લોકોએ સિંધુ નદીની પૂર્વે વસવાટ કર્યો અને ગુર્જરો હજુ વધારે દક્ષિણ તરફ આગળ વધ્યા. નોંધાયું છે કે આ બે ટોળીઓમાંથી મેદ લોકો પછીથી મેર કે મહેર તરીકે ઓળખાયા અને સત્તા તથા આધિપત્યનાં ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું.[૪]
સંસ્કૃત તામ્રપત્રો, લખાણો વગેરેમાં મેદપાટ એ મેવાડ માટે વપરાતું હતું જે ૧૫૫૯માં ઉદયપુર શહેરની સ્થાપના પછી ઉદયપુર રાજ્ય તરીકે ઓળખાયું. મેદપાટ ઇતિહાસકારોને એ સમયની યાદી આપે છે જ્યારે આ પ્રદેશ આર્યવંશજ મેદ કે મેર લોકો દ્વારા શાસિત હતો.
ઐતિહાસિક પુરાવાઓનાં આધારે કહી શકાય કે, મેર કે મેદ જાતીનાં પૂર્વજો એ દિવસોના પંજાબ/સિંધ વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ્યા અને દક્ષિણમાં ગુજરાત સુધી વસાહતો સ્થાપી. અજમેર (મહાન મેર ’અજા’થી), જેસલમેર (મહાન મેર સરદાર ’જાસલો’થી), બાડમેર (મહાન મેર સરદાર ’બાડ’ થી), કોમલમેર (મહાન મેર સરદાર ’કોમલ’થી) અને મારવાડ પ્રદેશ (આ પ્રદેશનો થોડો ભાગ ઉદયપુર અને જોધપુર સાથે સંકળાયેલો છે). એમ જણાય છે કે તેઓએ કાઠિયાવાડમાં પણ વસવાટ કર્યો અને આજે તેઓ પોરબંદરનાં ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે અને કાઠિયાવાડનાં મહેર તરીકે ઓળખાય છે.
|| મહેર, મેર કુળો (અટકો) ||
કેશવાલા (સૂર્યવંશી)
પેટાશાખાઓ: આંત્રોલિયા, એરડા, રાતડીયા, બુડા, ભેટાણીયા, બગોદરા.
સિસોદીયા (સૂર્યવંશી)
પેટાશાખાઓ: મોઢવાડીયા, ગોઢાણીયા, ખિસ્તરીયા, રાણાવાયા, કુછડીયા, હાડળીયા, પાસ્તરિયા.
રાજશાખા (સૂર્યવંશી)
પેટાશાખાઓ: ખુંટી, કારાવદરા, ગોરાણીયા, સુંડાવદરા, બોખીરીયા, સેલોત, સેલાર, જેઠવા, મોડેદરા, સુરીયા, જોગ, પરીયા.
ઓડેદરા (જેઓ સુમરા તરીકે પણ ઓળખાય છે) (અગ્નિવંશી)
પેટાશાખાઓ: વિસાણા (અન્ય જી, મોખરા, લાલા વગેરે ૧૮ જેટલી પેટાશાખાઓ હવે ઓડેદરા જ લખે છે.)
પરમાર (અગ્નિવંશી)
પેટાશાખાઓ: મહીયારીયા, બળેજા, મંડેરા, પાતા, ગોરસેરા, ચાંડેલા.
જાડેજા (યદુવંશી)
પેટાશાખાઓ: કડછા, તરખાલા, રાતીયા, કડેગીયા.
વાળા (સૂર્યવંશી)
પેટાશાખાઓ: મુળીયાસીયા, આગઠ, બાપોદરા, અમર.
ચૌહાણ (અગ્નિવંશી)
પેટાશાખાઓ: ગરેજા.
વાઢેર (સૂર્યવંશી)
પેટાશાખાઓ: સિંધલ, દાસા, સુત્રેજા, સરમા.
ચાવડા (ચંદ્રવંશી)
પેટાશાખાઓ: કોડવાળા
ચુડાસમા (યદુવંશી)
પેટાશાખાઓ: વાઘ.
સોલંકી (અગ્નિવંશી)
પેટાશાખાઓ: ટીંબા, દિવરાણીયા, સીડા, ભોગેસરા,
વદર (ચંદ્રવંશી)
ભટ્ટી (યદુવંશી)
પેટાશાખાઓ: ભૂતિયા.
પઢિયાર (અગ્નિવંશી)
પેટાશાખાઓ: થાપલીયા
Follow us for more updates!
Instgram - / ram_l_odedra
Youtube - / studiobansisodhana
Facebook - / ram.l.odedrabansi.studio
Facebook Page - https://www.facebook.com/Bansi.Studio...